Saturday, October 10, 2009

એક સાંજ મહેન્દ્ર મેઘાણી સાથે ...




આવતી ૨૫મી ઓક્ટોબર ૨૦૦૯ના સીકોક્સ સ્વામીનારાયણ મંદિરે સર્વશ્રી મહેન્દ્ર મેઘાણી એમના તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા પુસ્તક 'ગાંધીજીની જીવનયાત્રા એમના જ શબ્દોમાં'નું વાંચન કરશે. આ કાર્યક્રમ સાંજના ૪ વાગ્યાથી ૫.૩૦ દરમિયાન રાખેલ છે.  ઝવેરચંદ મેઘાણીના પુત્ર  મહેન્દ્ર મેઘાણી  હાલ અમેરિકામાં આ પુસ્તકની વાંચન યાત્રા પર છે જેના ભાગરૂપે આ કાર્યક્રમ રખાયેલ છે.  મહેન્દ્ર મેઘાણી વિષે લખીએ એટલું ઓછુ પડે ! પણ એમણે ગુજરાતી ભાષાને જીવાડવાનું કામ કોઈ સભા કે રેલી વગર કરી બતાવ્યું છે. જ્યાં એક હજાર ગુજરાતી પુસ્તક વેંચવાના ફાંફા પડતા હોય ત્યાં એમણે એક જ પુસ્તકની નકલ લગભગ લાખની સંખ્યામાં વેંચી બતાવી છે!  ૮૬ વર્ષના મહેન્દ્ર મેઘાણીને પ્રત્યક્ષ સાંભળવા એક લ્હાવો બની રહેશે.

સાંભળો ગુણવંત શાહને, "જો તમે 'અર્ધી સદીની વાંચનયાત્રા'ના   { મહેન્દ્ર  મેઘાણી સંપાદિત પુસ્તકોની શ્રેણી }  ત્રણ ભાગ ન વાંચ્યા હોય તો તેના ચાર કારણો હોઈ શકે છે: ૧) તમે ગુજરાતી ન હો. ૨) તમે અંગ્રેજી માધ્યમમાં ભણ્યાં હો  ૩) તમે અભણ હો, ૪) તમે કંજૂસના કાકા હો. આવાં તો અનેક સુંદર પુસ્તકો ગુજરાતનાં ઘરે ઘરે સાવ જ ઓછી કિંમતે પહોંચાડવાનું  રૂષીકર્મ  કરવા બદલ ગુજરાત એમનું ઉપકૃત છે."

ઉપરોક્ત કાર્યક્રમમાં સહુને ભાવભીનું નિમંત્રણ છે, કાર્યક્રમ માટે કોઈ એન્ટ્રી ફી નથી અને અંતમાં મંદિર તરફથી પ્રસાદની વ્યવસ્થા રાખેલ છે.

No comments: